ડિસેમ્બર 11, 2024 7:58 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા.. આ વર્ષે, કુલ 45 વ્યક્તિઓની  વિવિધ કેટેગરીમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે જે તેમના મૂળભૂત વહીવટ અને સમુદાયના વિકાસમાં તેમની વ્યાપક સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે.  સમારંભ દરમિયાન, પંચાયતી રાજ મંત્રીપુરસ્કાર વિજેતા પંચાયતોની નવીન અને અસરકારક કાર્ય પદ્ધતિઓ પરની પુસ્તિકાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રાલયે કહ્યું છે કે આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય અન્ય પંચાયતોને શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવા અને ગ્રામીણ ભારતના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપવાનો છે.