ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 21, 2024 2:54 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેશરી, ડૉ. હરેકૃષ્ણ મહતાબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઉત્કલ કેશરી, ડૉ. હરેકૃષ્ણ મહતાબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ડૉ. હરેકૃષ્ણ મહતાબની 125મી જન્મજયંતિની ઉજવણીનું ઉદ્ઘાટન કરતાં, શ્રી મુર્મુએ ડૉ. મહતાબના માનમાં વિશેષ સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડવા પર ખુશી વ્યક્ત કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તે હંમેશા ડૉ. હરેકૃષ્ણ મહતાબના લખાણો અને ભાષણોથી પ્રેરિત રહ્યા છે.

ડૉ. હરેકૃષ્ણ મહતાબનો જન્મ 21 નવેમ્બર 1899ના રોજ અગરપારા, ઓડિશામાં થયો હતો. તેઓ ભારતીય ઈતિહાસમાં બહુમુખી નેતા હતા, જેઓ સ્વતંત્રતા સેનાની, રાજકારણી, ઈતિહાસકાર, લેખક, સમાજ સુધારક અને પત્રકાર તરીકે જાણીતા હતા. ડૉ. મહતાબને તેમની પ્રખર ઈચ્છાશક્તિ, નિશ્ચય અને પ્રભાવ માટે યાદ કરવામાં આવે છે, જેમણે રાજ્યના અગ્રણી નેતાઓમાંના એક તરીકે
ઓળખ મેળવી હતી.