રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કરશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે સર્વશ્રેષ્ઠ રાજ્ય, જિલ્લા, ગ્રામ પંચાયત, શહેરી સ્થાનિક સંસ્થા, જળ ઉપયોગકર્તા સંઘ અનેસર્વશ્રેષ્ઠ નાગરિક સમાજ સહિત નવ શ્રેણીમાં 38 વિજેતાની જાહેરાત કરી છે.સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં પહેલો પુરસ્કારઓડિશાને મળ્યો છે. જ્યારે ઉત્તરપ્રદેશને બીજો અને ગુજરાત તેમજ પુડુચેરીને સંયુક્ત રીતે ત્રીજો પુરસ્કારમળ્યો છે. દરેક વિજેતાઓને એક પ્રશસ્તિપત્ર અને વિજયચિહ્નની સાથે અનેક શ્રેણીઓમાં રોકડ પુરસ્કારથી પણ સન્માનિત કરાશે. જળશક્તિ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય જળ પુરસ્કાર જળ સમૃદ્ધ ભારતના,સરકારના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દેશભરમાં લોકો અને સંગઠનો દ્વારા કરાયેલાનોંધપાત્ર પ્રયાસના યોગદાન માટે અપાય છે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 7:37 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કરશે
