રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વીર બાલ દિવસ નિમિત્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર’ એનાયત કરશે.આ વર્ષે, 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમણે બહાદુરી, રમતગમત અને સામાજિક સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે. નવી દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાં દેશના સમૃદ્ધ સભ્યતા વારસા અને બહાદુરીની ભાવના દર્શાવતા સાંસ્કૃતિક પ્રદર્શન પણ જોવા મળશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
Site Admin | ડિસેમ્બર 26, 2025 8:14 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે