રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે માનવ અધિકાર દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે. આ વર્ષના માનવ અધિકાર દિવસનો વિષય “રોજિંદી આવશ્યકતાઓ – બધા માટે જાહેર સેવાઓ અને ગૌરવ” છે.રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ આ વિષયને અનુરૂપ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રા જાહેર સેવાઓમાં સાર્વત્રિક, સમાન અને ગૌરવપૂર્ણ પ્રવેશ પર મુખ્ય ભાષણ આપશે.આ પરિષદમાં રાજ્ય માનવ અધિકાર આયોગ, રાષ્ટ્રીય આયોગ, સરકારી અધિકારીઓ, નાગરિક સમાજ સંગઠનો અને શિક્ષણવિદોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
Site Admin | ડિસેમ્બર 10, 2025 8:37 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં માનવ અધિકાર દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે