રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે પશુઓની સેવાની નૈતિક જવાબદારીને રેખાંકિત કરી. તેમજ પશુ ચિકિત્સા વ્યવસાયિકોને તેમની તાલીમ અને ઉદ્દેશ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા આગ્રહ કર્યો. ઉત્તરપ્રદેશના બરેલીમાં આજે ભારતીય પશુ ચિકિત્સા સંશાધન સંસ્થાના પદવીદાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ ગ્રામ્ય ક્ષેત્રોમાં સુગમ પશુ ચિકિત્સા દેખરેખના મહત્વ પર ભાર મૂક્યો.
રાષ્ટ્રપતિ મુર્મૂએ પશુ આરોગ્ય મેળાઓના નિયમિત આયોજન પર પણ ભાર આપ્યો. તેમણે કહ્યું, પશુઓનું યોગ્ય સમયે આરોગ્ય નિદાન કરવા આ મેળાઓ ગામડાઓમાં યોજવા જોઈએ.