રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે. તેઓ બરેલીમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિ મુર્મુ ૧ જુલાઈના રોજ ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, તેઓ ગોરખપુરમાં મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ તેના ઓડિટોરિયમ, શૈક્ષણિક બ્લોક અને પંચકર્મ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે અને નવી કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કરશે.
Site Admin | જૂન 29, 2025 7:13 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે જશે.