રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગન્નાથ પુરી રથયાત્રા પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગન્નાથ પુરી રથયાત્રા પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે લાખો ભક્તો ભગવાન બલભદ્ર, ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ચક્રરાજ સુદર્શનની ભવ્ય રથ પર બેઠેલી મૂર્તિઓના દર્શન કરીને દિવ્ય અનુભવ મેળવશે.
તેમણે કહ્યું કે આ દિવ્ય સ્વરૂપોની માનવ દિવ્ય લીલા આ યાત્રાની વિશેષતા છે. આ શુભ પ્રસંગે રાષ્ટ્રપતિએ ભગવાન જગન્નાથને વિશ્વભરમાં શાંતિ, મિત્રતા અને સંવાદિતા માટે પ્રાર્થના કરી.
દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આશા વ્યક્ત કરી કે શ્રદ્ધા અને ભક્તિનો આ તહેવાર દરેક માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.