ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 5, 2025 7:17 પી એમ(PM) | રાષ્ટ્રપતિ

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ‘વિવિધતાના અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ‘વિવિધતાના અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું. આ મહોત્સવનો ઉદ્દેશ રાષ્ટ્રપતિ ભવનને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું કેન્દ્ર બનાવવાનો છે.
સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું છે કે આ આવૃત્તિમાં, પાંચસોથી વધુ કારીગરો અને વણકરો પરંપરાગત હસ્તકલા અને હાથવણાટનું પ્રદર્શન કરશે. આ મહોત્સવ દક્ષિણ ભારત પર કેન્દ્રિત છે, જેમાં લક્ષદ્વીપ અને પુડુચેરી તેમજ પાંચ રાજ્યો – કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. ચારસોથી વધુ કલાકારો દક્ષિણ ભારતના લોક અને શાસ્ત્રીય નૃત્ય અને સંગીત રજૂ કરશે. આ મહોત્સવ ૯ માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.