ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. ચૌદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આ બાળકોને કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રે તેમની સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક એવોર્ડ વિજેતાને મેડલ, પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ વીર બાળ દિવસના અવસર પર સાહિબજાદાઓની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે આ દિવસ દર વર્ષે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહના યુવાન પુત્રોના અજોડ બલિદાન અને હિંમતને માન આપવા માટે ઉજવવામાં આવે છે.