રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે જશે ,રાષ્ટ્રપતિ આવતીકાલે કર્ણાટકના માલવલ્લી ખાતે આદિ જગદગુરુ શ્રી શિવરાત્રેશ્વર શિવયોગી મહાસ્વામીજીના ૧૦૬૬મા જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે. ૧૭મી તારીખે તેઓ તમિલનાડુના વેલ્લોરમાં સુવર્ણ મંદિરમાં દર્શન અને આરતી કરશે. બાદમાં, તેઓ શિયાળાના પ્રવાસ માટે રાષ્ટ્રપતિ નિલયમ, બોલારમ, સિકંદરાબાદ પહોંચશે.
Site Admin | ડિસેમ્બર 15, 2025 8:03 પી એમ(PM)
રાષ્ટ્રપતિ આવતીકાલથી કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે જશે