રાજ્ય સરકાર દ્વારા ખેડૂત પાસે અત્યાર સુધીમાં સૌથી વધુ બાર લાખ તેવીસ હજાર મેટ્રીક ટન મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતાં, કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખરીદી બાદ માત્ર સાત દિવસમાં ખેડૂતોને 6 હજાર 600 કરોડ રૂપિયાનું ચૂકવણું કરાયું છે. તેઓએ જણાવ્યું કે 270 કરોડ રૂપિયાના મૂલ્યની 55 હજાર 213 મેટ્રિક ટન સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પણ કરાઇ છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:19 પી એમ(PM)
રાજ્ય સરકાર દ્વારા ખેડૂત પાસે અત્યાર સુધીમાં સૌથી વધુ બાર લાખ તેવીસ હજાર મેટ્રીક ટન મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવી છે