અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ – રાહત અને સારવારની કામગીરીથી આપત્તિ વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આર્મી, રેપિડ એક્શન ફોર્સ, NDRF – SDRF, પોલીસ, ફાયરબ્રિગેડની ટીમો તત્કાળ બચાવ રાહત કામગીરીમાં જોડાઇ હતી. ઇજાગ્રસ્તોની સારવાર માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ચાર સનદી અધિકારીઓ અને SEOCમાં 16 નાયબ કલેક્ટર, 16 મામલતદારની ટીમો કામે લાગી હતી. સિવિલમાં 24X7 રાઉન્ડ ધી ક્લોક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. મૃતકોના પરિવારજનો માટે રહેઠાણ અને વાહન વ્યવહારની સુવિધા ઉભી કરવામાં આવી છે. ડીએનએ પરિક્ષણ માટે 36 નિષ્ણાંતોની સેવા લેવામાં આવી. દુર્ઘટના સ્થળની આસપાસના રહેણાંક વિસ્તારના ભોગ બનેલા લોકો પૈકીના આઠ વ્યક્તિઓના મૃતદેહોની ઓળખ થતાં તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. 219 જેટલા સંબંધીઓના ડીએનએ ટેસ્ટ કરવા માટે 219 જેટલા સંબંધીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. દુર્ઘટનામાં 50 જેટલા ઇજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 16 ને આઉટડોરના અને 31 ને ઇન્ડોર દર્દી તરીકે સારવાર અપાઇ રહી છે.
Site Admin | જૂન 14, 2025 9:43 એ એમ (AM)
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ યુદ્ધની ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી
