રાજ્ય સરકારે વિવિધ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા સુધારા આગામી 10 એપ્રિલથી અમલી બનશે.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે સ્ટેમ્પ ડ્યુટી કાયદાના અમલમાં સરળતા લાવવા આ નિર્ણય કરાયો છે, જે મુજબ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરાતા હક્ક કમીનો દસ્તાવેજ હવે 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરીને કરી શકાશે. આ સાથે એક કરોડ રૂપિયા સુધીની લોનની રકમ ઉપર મહત્તમ 5 હજાર રૂપિયાની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે. આ ઉપરાંત વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ 5 હજાર રૂપિયાની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
શ્રી પટેલે જણાવ્યું એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના દસ્તાવેજ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના એક ટકાની જગ્યાએ હવે રહેણાંક માટે ફિક્સ 500 રૂપિયા અને વાણિજ્ય માટે એક હજાર રૂપિયાની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરાઇ છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓથી ઉદ્યોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થશે.
Site Admin | એપ્રિલ 8, 2025 7:53 પી એમ(PM)
રાજ્ય સરકારે વિવિધ પ્રકારની સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કર્યો
