ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 2, 2025 4:19 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય લંબાવીને ૩૦ એપ્રિલ સુધી કર્યો

રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય લંબાવીને ૩૦ એપ્રિલ સુધી કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. કેન્દ્ર સરકારે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના એક લાખ 23 હજારથી વધુ ખેડૂતોએ તુવેરનું વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી.
રાજ્યના 58 હજાર 300 ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં 841 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની એક લાખ 11 હજાર મેટ્રિક ટન તુવેર ખરીદવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ