રાજ્ય સરકારે જુલાઈ મહિનાથી વીજળીના ફ્યૂઅલ સરચાર્જના દરમાં પ્રતિયુનિટ 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, નાગરિકોને ઓછા દરે વીજળી આપવા જુલાઈ 2025થી ફ્યૂઅલ સરચાર્જના દરમાં આ ઘટાડો કરાયો છે. હવે વીજ ઉપયોગ પર ફ્યૂઅલ સરચાર્જ પ્રતિયુનિટ 2.30 રૂપિયાના ઘટાડેલા દર સાથે લેવાશે. આ નિર્ણયથી રાજ્યના એક કરોડ 75 લાખ જેટલા ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અંદાજે 400 કરોડ રૂપિયાથી વધુનો લાભ થશે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 9:17 એ એમ (AM)
રાજ્ય સરકારે જુલાઈ મહિનાથી વીજળીના ફ્યૂઅલ સરચાર્જના દરમાં પ્રતિયુનિટ 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો
