ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 3, 2025 9:17 એ એમ (AM)

printer

રાજ્ય સરકારે જુલાઈ મહિનાથી વીજળીના ફ્યૂઅલ સરચાર્જના દરમાં પ્રતિયુનિટ 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો

રાજ્ય સરકારે જુલાઈ મહિનાથી વીજળીના ફ્યૂઅલ સરચાર્જના દરમાં પ્રતિયુનિટ 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, નાગરિકોને ઓછા દરે વીજળી આપવા જુલાઈ 2025થી ફ્યૂઅલ સરચાર્જના દરમાં આ ઘટાડો કરાયો છે. હવે વીજ ઉપયોગ પર ફ્યૂઅલ સરચાર્જ પ્રતિયુનિટ 2.30 રૂપિયાના ઘટાડેલા દર સાથે લેવાશે. આ નિર્ણયથી રાજ્યના એક કરોડ 75 લાખ જેટલા ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અંદાજે 400 કરોડ રૂપિયાથી વધુનો લાભ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.