ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 4, 2024 7:32 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની સમય મર્યાદા 10 નવેમ્બર સુધી લંબાવી

રાજ્ય સરકારે ખરીફ પાકોમગફળી, મગ, અડદઅને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા દશમી નવેમ્બર સુધી લંબાવી છે. જેઅન્વયે ખેડૂતો હવે ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે દશમી નવેમ્બર સુધી વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડનાઈ-સમૃધ્ધિ પોર્ટલ દ્વારા કરાવી શકશે. રાજ્યના વિવિધ ખરીદ કેન્દ્રો પર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમબાદ અગિયારમી નવેમ્બર થી આઠમી ફેબ્રુઆરી 2025 સુધી કરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૪-૨૫મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ છ હજાર 783 રૂપિયા, મગમાટે 8 હજાર 682 રૂપિયા, અડદ માટે સાત હજાર 400 રૂપિયા તથા સોયાબીન માટે પ્રતિક્વિન્ટલ ચાર હજાર 892 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરેલ છે. કેન્દ્ર સરકારની પી.એમ.આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ. હેઠળરાજયમાં આ  પાકોની ટેકાના ભાવે ખરીદીકરવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ