રાજ્ય સરકારે આગામી તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અંત્યોદય અને BPL કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ-ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું કાર્ડદીઠ ૧ લિટરનું પાઉચ ૧૦૦ રૂપિયાના રાહત દરે અપાશે.
આ ઉપરાંત બી.પી.એલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની ૧ કિ.ગ્રા. ખાંડ પણ રાહત દરે અપાશે.
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહ પરમારે જણાવ્યુ હતું કે, અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને ચણા કાર્ડદીઠ ૧ કિ.ગ્રા.ના ૩૦ રૂપિયા તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા.ના ૫૦ રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે.
આ સાથે લાભાર્થી કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. મીઠું ૧ રૂપિયાના રાહત દરે આપવામાં આવશે. આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી વહેલી તકે પહોંચી જાય તે માટેની કાર્યવાહી ચાલુ માસથી જ કરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
Site Admin | જુલાઇ 24, 2025 3:40 પી એમ(PM)
રાજ્ય સરકારે આગામી તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો