રાજ્ય સરકારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ બે દર્દીઓના મોતની ઘટનાને પગલે કડક કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી.
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય કોઈપણ હોસ્પિટલમાં કામ કરી શકશે નહીં. હોસ્પિટલના માલિક અને અન્ય તબીબો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા(BNS) ની કલમ ૧૦૦, ૧૦૫, ૩૩૬, ૬૧ સહિતની અન્ય કલમો અંતર્ગત સરકાર દ્વારા પોલિસ ફરિયાદ કરાશે. આ ઘટના સાથે સંકળાયેલા ડૉક્ટર વિરૂધ્ધ જરૂરી પગલાં લેવા માટે Gujarat Medical Council ને સુચના અપાશે. વઘુમાં હોસ્પિટલમાં અગાઉ થયેલ Cardiologyના કેસોની પણ ચકાસણી કરાશે.
સમગ્ર ઘટનામાં કમિટીને ગુનાહિત કૃત્ય અને મેડિકલ બેદરકારી જણાઇ આવતા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સંદર્ભે ગેરરિતી બદલ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
અમદાવાદ સ્થિત ખ્યાતી હોસ્પિટલને પી.એમ.જે.વાય-મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલીસ્ટ કરવામાં આવી છે. એક વર્ષમાં ૯૫ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી. જેમાંથી પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરાઇ છે. તેમજ ૨૦ કરોડ રૂપિયાથી વધુનો દંડ કરવામાં આવ્યો છે.
Site Admin | નવેમ્બર 13, 2024 7:17 પી એમ(PM)
રાજ્ય સરકારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ બે દર્દીઓના મોતની ઘટનાને પગલે કડક કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી
