રાજ્ય સરકારે તેનાં કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળવા પાત્ર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. આ લાભ 1 જુલાઇ, 2024ની અસરથી મળશે.હાલ કર્મચારીઓને 50 ટકાનાં દરે મોંઘવારી ભથ્થું મળે છે, જે હવે 53 ટકા કરવામાં આવ્યું છે.
કર્મચારીઓને જુલાઇથી નવેમ્બરનાં સમયગાળા માટે મળવાપાત્ર મોંઘવારી ભથ્થાનાં તફાવતની રકમ જાન્યુઆરી મહિનામાં ચૂકવવામાં આવનારા ડિસેમ્બરનાં પગારની સાથે રોકડમાં ચૂકવવામાં આવશે.રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર જેમને હાલ સાતમા પગારપંચ મુજબ પગાર સુધારણાનો લાભ મળે છે, તેવા કર્મચારીઓને જ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળશે.
Site Admin | ડિસેમ્બર 5, 2024 7:55 એ એમ (AM) | રાજ્ય સરકારનાં કર્મચારીઓ
રાજ્ય સરકારનાં કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારીને 53 ટકા કરાયું
