ડિસેમ્બર 10, 2025 7:53 પી એમ(PM)

printer

રાજ્યસભામાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ ની 150મી વર્ષગાંઠ પર ચર્ચા ચાલી રહી

રાજ્યસભામાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ ની 150મી વર્ષગાંઠ પર ચર્ચા ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે વંદે માતરમ્ પર ચર્ચા શરૂ કરી હતી.
ચર્ચામાં ભાગ લેતા, કોંગ્રેસ પક્ષના જયરામ રમેશે આરોપ લગાવ્યો કે જવાહરલાલ નેહરુને બદનામ કરવાના ઇરાદાથી વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષના દરેક સત્રમાં રાષ્ટ્રગીત ગવાતું હતું.
કોમ્યુનિસ્ટ પાર્ટીના સંતોષ કુમારે કહ્યું કે વંદે માતરમ્ ગીત હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને ખુદીરામ બોઝ જેવા નેતાઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યું છે. તેમણે કહ્યું કે તે રાષ્ટ્રના આત્મામાં જડાયેલું છે અને આજે પણ દરેકને પ્રેરણા આપે છે. બીજુ જનતા દળના દેવાશીષ સામંતરાયે કહ્યું કે વંદે માતરમ્ ગીત સ્વતંત્ર ભારતનો અવાજ હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.