રાજ્યસભાના સાંસદ કેશરીદેવ સિંહજી ઝાલાએ મોરબીની વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે AIIMS – રાજકોટ દ્વારા નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિરનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું આરોગ્ય માળખું સબળ બન્યું છે. દેશમાં ૨૧ AIIMS નું નિર્માણ થઈ ચૂક્યું છે. આજે AIIMS દ્વારા જે મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે તે પ્રકારના મેડિકલ કેમ્પનું આગામી સમયમાં મોરબીના તમામ તાલુકાઓમાં અને અન્ય જિલ્લાઓમાં પણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કેમ્પમાં મેડિસીન, હાડકા, ફેફસા, કાન, નાક, ગળા, કેન્સર, આંખ, બાળરોગ, સ્ત્રીરોગ, સર્જરી, ચામડી, એનેસ્થેસિયા, દાંત, લેબોરેટરી અને એકસ રે તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.