રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ હેઠળ ગણતરીપત્રકના ડિજિટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 100 ટકા ગણતરીપત્રક વિતરણનું કામ સંપન્ન થયું છે. તે પૈકી દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં 100 ટકા ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે. જ્યારે ડાંગ જિલ્લો 93 પૂર્ણાંક 14 ટકા ડિજિટાઈઝેશનથી આગળ વધી રહ્યો છે.
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 15 પૂર્ણાંક 58 લાખથી વધુ અવસાન પામેલા મતદાર મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે ચાર લાખથી વધુ મતદાર તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. સાથે જ 21 પૂર્ણાંક 86 લાખથી વધુ મતદાર કાયમી સ્થળાંતરિત થયા હોવાનું ધ્યાને આવ્યું છે. ઉપરાંત 2 લાખ 68 હજારથી વધુ મતદાર પુનરાવર્તિત હોવાનું જણાયું છે.
Site Admin | ડિસેમ્બર 1, 2025 7:46 પી એમ(PM)
રાજ્યમાં SIR હેઠળ ગણતરી પત્રકના ડિજિટાઈઝૅશનની કામગીરી પૂરજોશમાં – લીમખેડા અને ધાનેરામાં 100 ટકા કામગીરી