ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાજ્યમાં 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમ યોજાશે

રાજ્યમાં 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય સ્તરના કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહેશે.FPO સાથે સંકળાયેલા 1000થી વધુ મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તેમજ કૃષિ નિષ્ણાંતો આ કાર્યક્રમમાં જોડાશે.આ કાર્યક્રમ સાત મ્યુનિસિપલ કોર્પોરેશનો – અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદરા,સુરત, ભાવનગર અને રાજકોટમાં યોજાશે.મિલેટ મહોત્સવમાં 125 રાજ્ય-સ્તરીય અને 75 જિલ્લા કક્ષાના સ્ટોલનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં મિલેટ્સ (જાડું અને બરછટ અનાજ)ના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો, અને પ્રાકૃતિક કૃષિ પેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,આ મહોત્સવનો ઉદ્દેશ રાજ્ય સરકાર દ્વારા પરંપરાગત અનાજને બદલે મિલેટ્સ એટલે કે જાડા અને બરછટ અનાજને પ્રોત્સાહન આપવાનો છે.                

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ