રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ આશરે 66 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ, રાજ્યમાં ચાલુ વર્ષે કપાસ અને મગફળી પાકનું સૌથી વધુ 20-20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરાયું છે. ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં એક લાખ હેકટરથી વધુ વિસ્તારનો વધારો થયો છે. શ્રી પટેલે ઉમેર્યું કે 9 લાખ 79 હજાર હેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
Site Admin | જુલાઇ 30, 2025 7:08 પી એમ(PM)
રાજ્યમાં 66 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું