રાજ્યમાં 179 ખરીદ કેન્દ્ર પરથી ચણા અને 87 ખરીદ કેન્દ્ર પરથીરાયડાની ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ થયો છે.ગાંધીનગરથી આ ખરીદીનો વર્ચ્યૂઅલ પ્રારંભ કરાવતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, આ વખતે ખેડૂતો પાસેથી એક હજાર 903 કરોડ રૂપિયાની કિંમતનો ત્રણ લાખ36 હજાર મૅટ્રિક ટન ચણાની અને 767 કરોડ રૂપિયાની કિંમતના એક લાખ 29 હજાર મૅટ્રિકટન રાયડાની ખરીદી કરાશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, ટેકાના ભાવે ચણાનાવેચાણ માટે ત્રણ લાખ 36 હજારથી વધુ ખેડૂતો અને રાયડાના વેચાણ માટે એક લાખ 18હજારથી વધુ ખેડૂતોએ ઑનલાઈન નોંધણી કરાવી છે.
Site Admin | એપ્રિલ 21, 2025 7:14 પી એમ(PM)
રાજ્યમાં 179 કેન્દ્ર પરથી ચણા અને 87 કેન્દ્ર પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદીનો આજથી પ્રારંભ
