ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 20, 2025 3:02 પી એમ(PM) | સુજલામ સુફલામ અભિયાન

printer

રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો કરવામાં આવ્યાં છે

રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો કરવામાં આવ્યાં છે. જેના થકી ગુજરાત જળક્ષેત્રે અગ્રણી રાજ્ય બન્યું છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ……(વોઈસ કાસ્ટ – અજય ઈન્દ્રેકર)રાજ્યમાં જળસંગ્રહ માટે સુજલામ સુફલામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનાં ફલશ્રુતિ સ્વરૂપ છેલ્લા બે વર્ષમાં 32 હજાર 948 લાખ ઘનફૂટ પાણીની સંગ્રહશક્તિમાં વધારો થયો છે. 9 હજાર 381 કિલોમીટરની નહેરોની સાફ-સફાઈ કરવામાં આવી. 9 હજાર 480 તળાવોને ઊંડા કરાયાં, તેમજ 1 હજાર 914 ચેકડેમ રિપેરિંગનાં કામો કરવામાં આવ્યાં છે. આ અભિયાન અંતર્ગત વર્ષ 2024માં કુલ 7 લાખ 49 હજાર માનવદિનની રોજગારી ઉભી થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતી માટે પાણી અને ઘર-ઘર સુધી શુધ્ધ પેયજળ પહોંચાડવાના ઉમદા આશયથી વર્ષ 2003માં સુજલામ સુફલામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય આજે અન્ય રાજ્યો માટે આદર્શ મોડલ બન્યું છે.અજય ઈન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ