જાન્યુઆરી 2, 2026 7:40 પી એમ(PM)

printer

રાજ્યમાં લીલું આવરણ વધારવા 185 નદીના બંને કાંઠાની જમીન પર વૃક્ષ ઉછેર ઝૂંબેશ હાથ ધરાશે

રાજ્યની 185 નદીના બંને કાંઠાની જમીન પર વનવિભાગ દ્વારા “વૃક્ષ ઉછેર ઝૂંબેશ” હાથ ધરાશે. રાજ્યમાં લીલું આવરણ વધારવા લેવાયેલા સરકારના આ નિર્ણય અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, વૃક્ષ ઉછેર પહેલા સિમાંકન – ભૌગોલિક માહિતી પ્રણાલિ – G.I.S. માપણી કરીને કાર્યક્ષેત્ર અને જમીનની ઓળખ કરાશે. તેનો ઉપયોગ માત્ર લીલા આવરણ અને વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે.
આ ઝૂંબેશથી વરસાદ વધવાની સાથે નદીઓના બંને કાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે તેમ શ્રી મોઢવાડિયાએ ઉંમેર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.