રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ‘બે રાહત પેકેજને મળી રાજ્યના 7 લાખ 15 હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધા તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે.’
શ્રી પટેલે ઉમેર્યું, ‘જુલાઈ મહિનામાં ભારે વરસાદના કારણે 20 અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતોને સહાય આપવા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું હતું. 30 ઑગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કુલ 187 કરોડ 37 લાખ રૂપિયા અને 25 ઑક્ટોબરથી 10 નવેમ્બર સુધી મળેલી અરજીઓ પૈકી 5 લાખ 93 હજારથી વધુ ખેડૂતોને એક હજાર 184 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી.
આમ, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના 38 લાખ 98 હજારથી વધુ ખેડૂતોને 6 હજાર 204 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનું પણ કૃષિમંત્રીએ ઉમેર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:35 પી એમ(PM) | કૃષિમંત્રી રાઘવજી પટેલ
રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે
