રાજ્યમાં ગઈકાલ સાંજ સુધીમાં કોરોનાના 68 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 265 થઈ છે. જેમાં 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે બાકીના હોમ આઇસોલેશન હેઠળ છે. અત્યાર સુધીમાં 26 દર્દી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.અમારાં વલસાડના પ્રતિનિધી જણાવે છે કે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજમાં ત્રણ રેસિડેન્ટ ડોક્ટરોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગે કોલેજ અને આસપાસના વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરીને સઘન સર્વેલન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી શરૂ કરી છે.
Site Admin | મે 31, 2025 9:08 એ એમ (AM)
રાજ્યમાં કોરોનાના 265 સંક્રમિત કેસમાંથી અગિયાર દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ
