છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 223 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 175 કેસો અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને એક હજાર 227 થઈ છે. એક હજાર 204 દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હતી. આરોગ્ય ખાતાની યાદી પ્રમાણે કોરોનાથી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધી જણાવે છે કે, જિલ્લામાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસો નોંધાયા છે અને ત્રણ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ભાવનગરમાં હવે કોરોના પોઝિટિવના કુલ 25 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
Site Admin | જૂન 11, 2025 9:16 એ એમ (AM)
રાજ્યમાં કોરોનાના વધુ 223 કેસ નોંધાયાઃ કુલ સક્રિય કેસોની સંખ્યા એક હજાર 227 થઈ
