e-KYC ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોણા ત્રણ કરોડથી વધુ નાગરિકોનુંe-KYC પૂર્ણ કરવામાંઆવ્યું છે. અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ગાંધીનગર ખાતેજણાવ્યું હતું કે, ‘માય- રેશન એપ’, ગ્રામ પંચાયત, જનસેવાકેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી e-KYC કરી શકાય છે. આ અંગેશ્રી બાવળિયાએ વધુ વિગતો આપી હતી. શ્રી બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી ૧,૦૦૦ આધારકીટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, e-KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુતેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ ઉપર છે.આધારકાર્ડનાં નામ/અટકનાં સુધારા ન થાય ત્યાં સુધી e-KYC થતુંનથી.
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:23 પી એમ(PM)
રાજ્યમાં કુલ 2 કરોડ 75 લાખથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ
