હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલ બાદ વરસાદ વિરામ લે તેવી પણ શક્યતા છે. જ્યારે માછીમારોને 19 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું. બીજી તરફ, રાજ્યમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ અઢી ઈંચ જેટલો વરસાદ મહીસાગરના કડાણા તાલુકામાં થયાના અહેવાલ છે. જ્યારે નવસારીના વાંસદા, બનાસકાંઠાના દાંતા, વલસાડના ધરમપુર, મહીસાગરના લુણાવાડા સહિત નવ તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો.
Site Admin | જુલાઇ 16, 2025 10:30 એ એમ (AM)
રાજ્યમાં આવતીકાલ બાદ વરસાદ વિરામ લે તેવી હવામાન ખાતાની આગાહી