જુલાઇ 14, 2025 6:57 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ યથાવત્ રહેશે.

રાજ્યમાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ યથાવત્ રહેશે. દરમિયાન આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ માછીમારોને 18 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.