ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ જે નાગરિકોના અવસાન, કાયમી સ્થળાંતર, ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે BLO અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જે 100 ટકા સફળ રહ્યું છે. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.
5.08 કરોડ ફોર્મ પૈકી ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ યાદીમાં ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણતાને આરે છે. રાજ્યના કુલ 33 પૈકી 26 જિલ્લાઓની ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ યાદીમાં શૂન્ય વિસંગતતાઓ છે. જ્યારે અન્ય 07 જિલ્લાઓમાં મળી માત્ર 11 વિસંગતતાઓના કિસ્સામાં ખરાઈની પ્રક્રિયા પ્રગતિમાં છે.
Site Admin | ડિસેમ્બર 15, 2025 7:54 પી એમ(PM)
રાજ્યભરમાં SIR હેઠળ ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં.