ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 10, 2025 9:49 એ એમ (AM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, ગુજરાતના લોકોમાં આદિકાળથી સહકારની ભાવના રહેલી છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે,ગુજરાતના લોકોમાં આદિકાળથી સહકારની ભાવના રહેલી છે. અહીંના નાગરિકો માત્ર પોતાની પ્રગતિ માટે જ નહીં, પરંતુ પોતાની સાથેના લોકોની ઉન્નતિ માટે પણ કાર્ય કરે છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતના લોકો સહકારના બળ પર નિરંતર આગળ વધતા રહ્યા છે અને એનું જીવંત ઉદાહરણ છે – અમૂલ ડેરી. તેમણે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ પ્રતિનિધિઓને કૃષિ, બેંકિંગ, મત્સ્ય ઉદ્યોગ જેવા ક્ષેત્રમાં સહકાર દ્વારા નવી તકો ઊભી કરી, રોજગારીનું સર્જન કરવા આહવાન કર્યું હતું.ગઈ કાલે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે રાજભવન ખાતે આયોજિત “સહકારથી સમૃદ્ધિ સંમેલન”માં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સહકાર એ માત્ર વ્યવહાર નથી, એ એક ભાવના છે, આ ભાવનાને દ્રઢપણે અપનાવવાથી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી સાર્થક થશે.આ સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ