રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આજે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા. શ્રી દેવવ્રતે કહ્યું, આપણે ભારતવાસીઓ અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ શપથ પણ લઈએ છીએ કે, આતંકવાદ અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું. તેમણે જણાવ્યું કે, આપણે સમાજના વિવિધ વર્ગો વચ્ચે હંમેશા શાંતિ, સામાજિક સદભાવ અને સમજણ જળવાઈ રહે તે માટેના શપથ લઈએ છીએ, અને માનવજીવન મૂલ્યો સામે મુશ્કેલી ઉભી કરનારી વિઘટનકારી શક્તિઓ સામે લડવાના પણ શપથ લઈએ છીએ.
Site Admin | મે 21, 2025 3:25 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આજે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા.
