રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું છે. ગઈકાલે આકાશવાણી, અમદાવાદની મુલાકાતે આવેલા રાજ્યપાલે આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કર્યું. દરમિયાન તેમણે દેશની પ્રાચીન પરંપરા જાળવવામાં અને સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢી સુધી પહોંચાડવામાં આકાશવાણીનાં પ્રદાનની પ્રશંસા કરી.
Site Admin | એપ્રિલ 5, 2025 10:01 એ એમ (AM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું
