ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું છે. આજે આકાશવાણી, અમદાવાદની મુલાકાતે આવેલા રાજ્યપાલે આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કર્યું. જે દરમિયાન, તેમણે દેશની પ્રાચીન પરંપરા જાળવવામાં અને સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢી સુધી પહોંચાડવામાં આકાશવાણીનાં પ્રદાનની પ્રશંસા કરી.
શ્રી દેવવ્રતે 1971નાં યુધ્ધમાં આકાશવાણીના સમાચાર સહિત વિવિધ સંગીત કાર્યક્રમો અંગે પોતાનાં બાળપણની જૂની યાદો તાજી કરી હતી. રાજ્યપાલ શ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી શરૂ કરેલા મન કી બાત’ કાર્યક્રમ બાદ રેડિયો પુનઃ પ્રચલિત થયો છે અને તેનું મહત્વ વધ્યું છે.
તેમણે આકાશવાણી પરિસરમાં વૃશ્ર વાવીને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે આકાશવાણી કેન્દ્રના વડા એન એલ ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ડોક્ટર ચિરાગ ભોરણિયા અને આકાશવાણીના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | એપ્રિલ 4, 2025 7:51 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું
