મર્ચન્ટ નેવી સપ્તાહ નિમિત્તે આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રથમ મીનીએચર મર્ચન્ટ નેવી ધ્વજ પિન કરવામાં આવ્યો હતો. શ્રી દેવવ્રતજીએ રાજ્યમાં શિપિંગ અને બંદર ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહિત કરવા બદલ મેરીટાઇમ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે 5 એપ્રિલે નેશનલ મેરીટાઇમ ડે ઉજવવામાં આવે છે. નેશનલ મેરિટાઈમ ડેની ઉજવણી અન્વયે 30 માર્ચ થી 5 એપ્રિલ દરમિયાન મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
Site Admin | એપ્રિલ 3, 2025 8:02 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રાજભવનમાં મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણી કરાઇ
