રાજ્યની 149 નગરપાલિકાઓને માર્ગ સમારકામ માટે કુલ 107 કરોડ રૂપિયાની નાણાકીય સહાયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર નગર પાલિકાઓની કેટેગરી મુજબ 40 લાખથી એક કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવાશે.જો ભારે વરસાદના કારણે માર્ગોને વધુ નુકસાન થાય તો તેમને જરૂરિયાત અને માંગણી મુજબ રોડ રિપેરિંગ માટે વધુ નાણાં ફાળવવામાં આવશે.દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું વ્યક્તિગત તાકાત કરતાં સામૂહિક તાકાત વધારે પ્રભાવશાળી છે. ગઈકાલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું કે આજનો સમય સહકારથી સમૃદ્ધિનો છે.
Site Admin | જૂન 9, 2025 9:50 એ એમ (AM)
રાજ્યની 149 નગરપાલિકાઓમાં માર્ગ સમારકામ માટે કુલ 107 કરોડ રૂપિયાની નાણાકીય સહાયને સરકારની મંજૂરી
