રાજ્ય સરકારે શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની તારીખો જાહેર કરી છે. શિક્ષકોની ભરતી પસંદગી સમિતિના જણાવ્યા અનુસાર, બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત, ૨૫ સપ્ટેમ્બરનાં રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત, ૧૦ ઓક્ટોબરનાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત ૧ ઓગસ્ટના રોજ આચાર્ય તેમજ ૧ સપ્ટેમ્બરનાં રોજ અંદાજિત ૪ હજાર જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 7:54 પી એમ(PM)
રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની તારીખો જાહેર કરાઇ
