રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોને તેમના પાકનું રક્ષણ મળે અને બજારમાં સારા ભાવ મેળવી શકે તેવા ઉદેશથી જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવાના પાકમાં વાવણી પહેલાં અને વાવણી સમયે રોગ અને જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા આપી છે.
માર્ગદર્શિકા મુજબ જીરાના પાકમાં કાળીયો અથવા કાળી ચરમી રોગના નિયંત્રણ માટે એક જ ખેતરમાં સતત જીરૂની વાવણી ન કરતાં પાક ફેરબદલી કરવી હિતાવહ છે. ઉપરાંત સેન્દ્રિય ખાતર તેમજ ભલામણ અનુસાર નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત રોગ જીવાત નિયંત્રણ માટે જરૂરિયાત મુજબ દવાઓ જણાવવામાં આવી છે.
વરિયાળીમાં મૂળનો કોહવારો અથવા થડનો સડો રોગના નિયંત્રણ માટે ધરૂને ફેરરોપણી કરતાં પહેલાં 40 ગ્રામ ત્રાંબાયુક્તા દવાનું 10 લિટર પાણીમાં દ્રાવણ બનાવી ધરૂને દ્રાવણમાં બોળીને વાવવા જેથી આ રોગને અસરકારક રીતે અટકાવી શકાય છે. દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Site Admin | નવેમ્બર 21, 2024 11:43 એ એમ (AM)
રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોને તેમના પાકનું રક્ષણ મળે તેવા ઉદેશથી માર્ગદર્શિકા આપી
