ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 8, 2025 7:19 પી એમ(PM)

printer

રાજ્યના સહકારી ક્ષેત્રના લોકોએ પ્રધાનમંત્રીનો આભાર માનવા અત્યાર સુધીમાં એક કરોડથી વધુ ટપાલપત્ર લખ્યા

રાજ્યભરમાંથી સહકારી ક્ષેત્રના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા એક કરોડ 11 લાખ 75 હજાર ટપાલપત્ર લખ્યા છે. વસ્તુ અને સેવા કર – GST સુધારા, સહકારી માળખાના વિસ્તૃતિકરણ, પશુપાલકો અને ખેડૂતોના આર્થિક હિતનું રક્ષણ, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત જેવા વિવિધ વિષય અંતર્ગત કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ ટપાલપત્ર લખાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ટપાલ વિભાગ દ્વારા દર વર્ષે સમગ્ર દેશ માટે અંદાજે દોઢ કરોડ જેટલા ટપાલપત્ર છાપવામાં આવે છે. તેમાંથી માત્ર ગુજરાતના સહકાર ક્ષેત્ર દ્વારા ટૂંકાગાળામાં એક કરોડ 11 લાખ 75 હજાર જેટલા ટપાલપત્ર લખાયા છે. વિવિધ વિષયવસ્તુ પર લખાયેલા આ ટપાલપત્ર અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં આવેલા વલ્લભ સદન ખાતે આ 10 તારીખ સુધી પ્રદર્શન માટે રખાયા છે.