ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 8:35 એ એમ (AM)

printer

રાજ્યના શ્રમિકોને આગામી વર્ષે મનરેગા યોજના હેઠળ કુલ 516 લાખ માનવદિન રોજગારી અપાશે.

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગની ચાર હજાર 700 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. દરમિયાન ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ ગૃહમાં જણાવ્યું, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા વધારાની 50 હજાર રૂપિયાની સહાય અપાશે. આ સાથે જ રાજ્યના શ્રમિકોને આગામી વર્ષે મહાત્મા ગાંધી ગ્રામીણ બાંહેધરી યોજના- મનરેગા હેઠળ કુલ 516 લાખ માનવદિન રોજગારી અપાશે.શ્રી હળપતિએ ઉમેર્યું, વર્ષ 2025-26 દરમિયાન રાજ્યમાં વધુ પાંચ હજાર 950 સ્વસહાય જૂથની રચના કરાશે. ઉપરાંત સહાય યોજના હેઠળ આ જૂથની મહિલાઓની બૅન્ક ધિરાણ માટેની બાંહેધરી સરકાર પોતે લેશે.