રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ તૈયાર કરાશે. આ યોજના અંતર્ગત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બૉર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ 5 રૂપિયાના ટૉકન દરે હંગામી આવાસ મળી રહેશે. જ્યારે લાભાર્થી શ્રમિકના છ વર્ષ કે તેથી ઓછી વયના બાળકો માટે ભાડું લેવામાં નહીં આવે. આ ઘર તૈયાર થતાં 15 હજારથી વધુ શ્રમિકોને લાભ થશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગત જુલાઈ મહિનામાં આ યોજના અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં કુલ 17 જગ્યાએ આવાસનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ યોજનાના અમલીકરણ માટે શ્રમિક બસેરા યોજનાના પૉર્ટલનું અનાવરણ કરાયું છે. તેના માધ્યમથી શ્રમિકોને આવાસની ફાળવણી કરાશે.