રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે , અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.આ ઉપરાંત આજે દિવસ દરમિયાન ઝડપી ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. જેથી ગરમીથી રાહત મળશે આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે.
Site Admin | માર્ચ 4, 2025 6:36 પી એમ(PM) | હવામાન
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
