રાજ્યના ગૃહ રક્ષક હવે 58 વર્ષની વય સુધી ફરજ બજાવી શકશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યના ગૃહ રક્ષક જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરાયો છે. આ અંગે રાજ્ય સરકારે મુંબઇ ગૃહરક્ષક નિયમો, 1953ના નિયમ-9માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. જેને પરિણામે હવે ગૃહરક્ષક સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ થશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ નિર્ણયથી ગૃહરક્ષક સભ્યોમાં રાષ્ટ્ર-સેવા કરવા માટેનો જુસ્સો વધશે.
બૃહદ મુંબઇ રાજ્યમાં ૬ઠ્ઠી ડીસેમ્બર, 1947ના રોજ પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં આંતરિક સુરક્ષા માટે ગૃહરક્ષક દળની રચના કરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 8, 2025 5:36 પી એમ(PM)
રાજ્યના ગૃહ રક્ષક હવે 58 વર્ષની વય સુધી ફરજ બજાવી શકશે