ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 4, 2025 9:49 એ એમ (AM)

printer

રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિશેષ પ્રયાસ હાથ ધરાશે

રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 100 ટકા પ્રાકૃતિક ખેતી થાય તે માટે આદિજાતિ વિકાસ વિભાગ સઘન પ્રયાસ હાથ ધરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આદિવાસી વિસ્તારો પણ વિશેષ ધ્યાન આપવા પર ભાર મુક્યો હતો. શ્રી દેવવ્રતની અધ્યક્ષતામાં ગઈકાલે રાજભવન ખાતે કૃષિ અને આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા.આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું, પ્રાકૃતિક ખેતી અભિયાનમાં આદિજાતિ વિભાગનો સમાવેશ થવાથી ખેડૂતોને લાભ મળશે. ઉપરાંત ત્રણ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટરની યોજનાઓથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ