અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ઉકળાટ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હોવાનું ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ની યાદી જણાવે છે.ગઈકાલે સવારે 6થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં રાજકોટના ગોંડલ તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટ તાલુકામાં 2.4 ઇંચ, થાનગઢ અને ખેડામાં 2 ઇંચથી વધુ, નડિયાદ,ધોળકા, વાંકાનેર, લુણાવાડા, બોટાદ, બોડેલી, જાંબુગોંડા, કોટડા સાંગાણી અને કાલોલમાં એક-એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત ખંભાત, નેત્રંગ, તલોદ, લોધિકા, ટંકારા, સંખેડા, વિરપુર સહિતના તાલુકાઓમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે . આણંદ જિલ્લામાં મોડી સાંજ દરમિયાન વરસાદ નોંધાયો . સીઝનના પહેલા વરસાદથી જ કાલોલ પંથકમાં ભારે શોક વ્યાપ્યો છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચ સંજયસિંહ ચૌહાણનું વીજળી પડવાથી મૃત્યુ થયું છે.સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. સાયલા તાલુકાના કંસાલા ગામે વીજળી પડતાં 1 ભેંસનું મોત નીપજ્યું હતું. પંચમહાલ જિલ્લામાં ગોધરા, શહેરા સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ થયો. મહીસાગર જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થયો જેમાં ખાનપુર, લુણાવાડા ,કડાણા અને સંતરામપુરમાં વરસાદ થયો. વરસાદ અને વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થયા. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ વીજળી ગુલ થઈ. બોટાદ, બરવાળા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વ્યાપક વરસાદથી ધરતી પુત્રોમાં આનંદની લહેર જોવા મળી છે.
Site Admin | જૂન 15, 2025 10:01 એ એમ (AM)
રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયુ, ગોંડલમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો – પંચમહાલમાં વિજળી પડવાથી મોકળ ગામના સરપંચનું મોત
